Sunday, 2 March 2014

મધ્યકાલીનયુગ (૧૪૧૪-૧૮૫૦)

મધ્યકાલીનયુગ (૧૪૧૪-૧૮૫૦)
નરસિંહ મહેતા  ૧૫મી સદીમાં થઇ ગયેલા નરસિંહ મહેતાનો આયુષ્યકાળ ઈ.સ.૧૪૧૪-૧૪૮૦ સુધીનો ગણવામાં આવ્યો છે. તેઓ આદિ કવિ તરીકે ઓળખાય છે.  નરસિંહ મહેતા પદ કવિ છે. તેમના પદોમાં મુખ્યત્વે પ્રભાતિયા રહેલા છે. મોટાભાગે તેઓ ઝૂલણા છંદમાં પદો રચે છે.  નરસિંહ મહેતાથી આરંભ થયેલ યુગ ભક્તિયુગ તરીકે ઓળખાય છે.  નરસિંહ મહેતાએ સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ રોપ્યા.
મીરાંબાઈ  નરસિંહ મહેતા અને મીરાંના ઊર્મિકાવ્યોને બ.ક.ઠાકોર ત્રીજાનેત્રની પ્રસાદી ગણાવે છે.  મીરાંબાઈનું જન્મસ્થળ મેડતા હતું. તેમના લગ્ન મેવાડમાં ભોજરાજ સાથે થયા.  તેમની કવિતાનો મુખ્ય કવન વિષય કૃષ્ણલીલા છે.  મીરાંબાઈએ પણ નરસિંહ મહેતાની જેમ પદ સ્વરૂપે ભક્તિ કરી છે.  મીરાંબાઈનો દેહવિલય દ્વારકામાં થયો હતો.  હતો નરસિંહ, હતી મીરાં, ખરા ઈલમી ખરા શૂરા – કલાપી
ભાલણ  ભાલણ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે.  ભાલણે આખ્યાનને કડવાબદ્ધ સ્વરૂપ આપ્યું.  ભાલણે મોટા ભાગે રામની ભક્તિમાં રસ દાખવ્યો છે.  ભાલણે કવિતા ઉપરાંત ભાષાન્તરકાર તરીકે સાહિત્યની સેવા કરી છે.  ભાલણે બાણભટ્ટની કાદમ્બરીનો અનુવાદ આપ્યો છે.
અખાભગત(૧૪મી સદી)  અખાભગતે છપ્પા રચ્યા છે. જે ચોપાઈ છંદમાં છે.  તેઓ સોની કામ કરતા હતા. ધરમની બેનના અવિશ્વાસથી આઘાત પામેલા અખાએ સંસારને માયા ગણાવતા તત્વજ્ઞાનની વાણી આપી.  તેમણે શંકરાચાર્યના માયાવાદ અને અદ્વૈતના સિદ્ધાંતને સરળ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યા છે.  મધ્યકાળના શ્રેષ્ઠ વેદાન્તી કવિ તરીકે તેની ગણના થાય છે.  અખાએ ‘અખેગીતા’માં કડવા સાથે પદોનો વિનિયોગ કર્યો છે. જેમાં ૪૦ કડવા અને ૧૦ પદોનો સમાવેશ થયો છે. નાકર  નાકરે આખ્યાનમાં કડવામાં વલણનું તત્વ ઉમેરી કડવાનું રૂપ પૂર્ણ કર્યું.
પ્રેમાનંદ  રસસિદ્ધિની બાબતમાં કોઈ કવિ પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલી શકે નહિ – નવલરામ  પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ ચતુર્વંસી બ્રાહ્મણ હતા. શરૂઆતમાં તેઓએ કથા કરી પાછળથી ઉદર નિમિત્તે નંદરબારમાં જઈ ‘નિસરણી’ ગાયુ હતુ.  તેઓ ૧૮મી સદીમાં થઇ ગયા હોવાનું મનાય છે.  તેમને અધુરી મુકેલી કૃતિ ‘દશમસ્કંધ’ છે. તેમાં ‘બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા’ એવો ઉલ્લેખ પ્રેમાનંદે કર્યો છે.  તેમણે ગુજરાતી ભાષા જ્યાં સુધી સમૃદ્ધ ન બને ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

No comments:

Post a Comment