Sunday, 2 March 2014

IMAGE





અંબુભાઈ પુરાણી Ambubhai Purani

બળવંતરાય ઠાકોર Balvantrai Thakor

ચંદ્રકાન્ત બક્ષી  Chandrakant Bakshi

દ. બા. કાલેલકર  D. B. Kalelkar

અર્વાચીન યુગ(૧૮૫૦-અત્યાર સુધી)

અર્વાચીન યુગ(૧૮૫૦-અત્યાર સુધી) 
આ યુગ ‘સુધારકયુગ’ અથવા ‘નર્મદયુગ’, ‘પંડિતયુગ’ અથવા ‘ગોવાર્ધનયુગ’, ‘ગાંધીયુગ’, અનુગાંધીયુગ’, ‘આધુનિકયુગ’, ‘અનુંઆધુનીકયુગ’ જેવા વિભાગોમાં નોંધી શકાય છે.
સુધારક યુગ અથવા નર્મદયુગ (૧૮૫૦-૧૮૮૫)
 ૧૯મી સદીના મધ્યમાં ગુજરાતી ભારતની અન્ય ભાષાઓની જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવે છે. દલપતરામ (૧૮૨૦-૧૮૯૮) અને નર્મદ (૧૮૩૩-૧૮૮૬) એ અર્વાચીનોમાં ગુજરાતી આદ્ય છે.  નર્મદ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ આપે છે.  નંદશંકર મહેતા (૧૮૩૫-૧૯૦૫) ‘કરણઘેલો’ ૧૮૬૬માં આપે છે.  રણછોડલાલ ઉદયરામ દવે (૧૮૩૭-૧૯૨૩) ‘લલીતા દુખદર્શક” નાટક આપે છે. ગુજરાતી નાટકના પિતા તરીકે નવલરામનું નામ જાણીતું છે.  એલેકઝાંડર કિન્લોક ફાર્બસનો ફાળો ઐતિહાસિક અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય પરત્વે મહત્વનું છે. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. તેમના નામ પરથી રચાયેલ મુબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’ દ્વારા ગુજરાતી સાહિત્યમાં મહત્વનું પ્રદાન મળી રહે છે. પંડિતયુગ અથવા ગોવર્ધયુગ (૧૮૮૫-૧૯૧૫)  ગોવર્ધનરામ ત્રિપાઠી(૧૮૫૫-૧૯૦૭) આ યુગના મુખ્ય સાહિત્યકાર છે. ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્રના ચાર ભાગ ચૌદ વર્ષના વિશાળ સમયમાં આપે છે.  નરસિંહરાવ દિવેટિયા ‘કુસુમમાળા’,’હૃદયવીણા’.’નુપુર ઝંકાર’ અને ‘બુધચરિત’ આપે છે.  મણિશંકર રત્નજી ભટ્ટ અથવા કવિ કાન્તનો ‘પૂર્વાલાપ’(દેવયાની, અતિજ્ઞાન, વસંતવિજય, ચક્ર્વાક મિથુન) અને બળવંતરાય ઠાકોર ‘ભણકારા’ આપે છે.  ન્હાનાલાલ અપદ્યાગદ્ય એવી ડોલન શૈલીના પ્રણેતા છે. તેમના બે મહત્વના સર્જન ‘વસંતોસ્તવ’(૧૮૯૮), અને ‘ચિત્રદર્શન’(૧૯૨૧) છે. ઈન્દુકુમાર, જ્યાજ્યંત, વિશ્વગીતા, સંઘમિત્ર અને જગત પ્રેરણા જેવા નાટકો આપે છે.
ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫)
 આ સમય દરમ્યાન ગાંધીજી અને ગુજરાત વિદ્યાપીઠ સમગ્ર સાહિત્યિક પ્રવૃત્તિ કેન્દ્રમાં હતા. જ્યાં નવલકથા, ટૂકીવાર્તાઓ, ડાયરી, પત્રો, નાટકો, નિબંધો, વિવેચનો, ચરિત્રો, પ્રવાસ વર્ણનો જેવા અનેક પ્રકારના સાહિત્ય સ્વરૂપો ગુજરાતી સાહિત્યમાં આવે છે. ગાંધી વિચારસરણીના નૈતિક મૂલ્યો, ભારતીયતા અને સરળતા જેવા ગુણો સાહિત્યમાં પણ ઉતર્યા છે.  ગાંધીજી, રા.વિ. પાઠક, ક.મા. મુનશી, સ્વામી આનંદ, ઉમાશંકર જોશી, સુન્દરમ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી. મહેતા, ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ), મનુભાઈ પંચોળી(દર્શક), અને ઈશ્વર પેટલીકર આ યુગના મહત્વના સર્જકો છે.  મહાત્મા ગાંધી ‘સત્યના પ્રયોગો’ આપે છે. ‘હિન્દ્સ્વરાજ’ આપે છે. ગાંધીજી ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં ‘હરીજન’:સાઉથ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનીયન’ અને અન્ન્ગ્રેજીમાં ‘યંગ ઇન્ડિયા’ ઉપરાંત ભારત પાછા ફરી ગુજરાતી માસિક ‘નવજીવન’ આપે છે. પાછળથી નવજીવન હિન્દીમાં પણ પ્રકાશિત થાય છે. તેઓ લગભગ દરરોજ પત્રો લખતા.  કનેયાલાલ મુનશી નાટકો, નિબંધો, ટૂકીવાર્તાઓ અને નવલકથાઓ આપે છે. તેમની પ્રખ્યાત નવલકથાઓમાં ‘પાટણની પ્રભુતા’,‘રાજાધિરાજ’,‘જય સોમનાથ’,’પૃથ્વીવલ્લભ’,’ગુજરાતનો નાથ’,’તપસ્વિની’,’ભગવાન પરશુરામ’ વગેરે મહત્વની કૃતિઓ છે.  રવીન્દ્રનાથ ટાગોરથી પ્રેરાય ઉમાશંકર જોશી ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ આપે છે. તેમને તેમની કવિતા ‘નિશીથ’ માટે ઈ.સ.૧૯૬૭માં જ્ઞાનપીઠનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.  પન્નાલાલ પટેલને ‘માનવીની ભવાઈ’ માટે ૧૯૮૫માં ૨૧મો જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે.  ગૌરીશંકર જી.જોશી (ધૂમકેતુ) ઉત્તમ વાર્તાકાર તરીકે જાણીતા છે તો ચં.ચી. મહેતા, ઉમાશંકર જોશી, જયંતી દલાલ, ચુનીલાલ માળિયા તે સમયના નોંધનીય નાટ્યકારો છે. ઉપરાંત કાકા કાલેલકર, રતિલાલ ત્રિવેદી, લીલાવતી મુનાશીઓ, જ્યોતીન્દ્ર દવે, રા.વિ.પાઠક વગેરેએ નિબંધો આપ્યા છે.
 અનુંગાંધીયુગ અથવા રાજેન્દ્ર-નિરંજનયુગ(૧૯૪૫-૧૯૬૦)
 રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની કવીતાઓનો આ યુગ છે. ‘ધ્વની’ કાવ્યસંગ્રહ માટે ૨૦૦૧નો ૪૬મો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

મધ્યકાલીનયુગ (૧૪૧૪-૧૮૫૦)

મધ્યકાલીનયુગ (૧૪૧૪-૧૮૫૦)
નરસિંહ મહેતા  ૧૫મી સદીમાં થઇ ગયેલા નરસિંહ મહેતાનો આયુષ્યકાળ ઈ.સ.૧૪૧૪-૧૪૮૦ સુધીનો ગણવામાં આવ્યો છે. તેઓ આદિ કવિ તરીકે ઓળખાય છે.  નરસિંહ મહેતા પદ કવિ છે. તેમના પદોમાં મુખ્યત્વે પ્રભાતિયા રહેલા છે. મોટાભાગે તેઓ ઝૂલણા છંદમાં પદો રચે છે.  નરસિંહ મહેતાથી આરંભ થયેલ યુગ ભક્તિયુગ તરીકે ઓળખાય છે.  નરસિંહ મહેતાએ સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ રોપ્યા.
મીરાંબાઈ  નરસિંહ મહેતા અને મીરાંના ઊર્મિકાવ્યોને બ.ક.ઠાકોર ત્રીજાનેત્રની પ્રસાદી ગણાવે છે.  મીરાંબાઈનું જન્મસ્થળ મેડતા હતું. તેમના લગ્ન મેવાડમાં ભોજરાજ સાથે થયા.  તેમની કવિતાનો મુખ્ય કવન વિષય કૃષ્ણલીલા છે.  મીરાંબાઈએ પણ નરસિંહ મહેતાની જેમ પદ સ્વરૂપે ભક્તિ કરી છે.  મીરાંબાઈનો દેહવિલય દ્વારકામાં થયો હતો.  હતો નરસિંહ, હતી મીરાં, ખરા ઈલમી ખરા શૂરા – કલાપી
ભાલણ  ભાલણ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે.  ભાલણે આખ્યાનને કડવાબદ્ધ સ્વરૂપ આપ્યું.  ભાલણે મોટા ભાગે રામની ભક્તિમાં રસ દાખવ્યો છે.  ભાલણે કવિતા ઉપરાંત ભાષાન્તરકાર તરીકે સાહિત્યની સેવા કરી છે.  ભાલણે બાણભટ્ટની કાદમ્બરીનો અનુવાદ આપ્યો છે.
અખાભગત(૧૪મી સદી)  અખાભગતે છપ્પા રચ્યા છે. જે ચોપાઈ છંદમાં છે.  તેઓ સોની કામ કરતા હતા. ધરમની બેનના અવિશ્વાસથી આઘાત પામેલા અખાએ સંસારને માયા ગણાવતા તત્વજ્ઞાનની વાણી આપી.  તેમણે શંકરાચાર્યના માયાવાદ અને અદ્વૈતના સિદ્ધાંતને સરળ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યા છે.  મધ્યકાળના શ્રેષ્ઠ વેદાન્તી કવિ તરીકે તેની ગણના થાય છે.  અખાએ ‘અખેગીતા’માં કડવા સાથે પદોનો વિનિયોગ કર્યો છે. જેમાં ૪૦ કડવા અને ૧૦ પદોનો સમાવેશ થયો છે. નાકર  નાકરે આખ્યાનમાં કડવામાં વલણનું તત્વ ઉમેરી કડવાનું રૂપ પૂર્ણ કર્યું.
પ્રેમાનંદ  રસસિદ્ધિની બાબતમાં કોઈ કવિ પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલી શકે નહિ – નવલરામ  પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ ચતુર્વંસી બ્રાહ્મણ હતા. શરૂઆતમાં તેઓએ કથા કરી પાછળથી ઉદર નિમિત્તે નંદરબારમાં જઈ ‘નિસરણી’ ગાયુ હતુ.  તેઓ ૧૮મી સદીમાં થઇ ગયા હોવાનું મનાય છે.  તેમને અધુરી મુકેલી કૃતિ ‘દશમસ્કંધ’ છે. તેમાં ‘બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા’ એવો ઉલ્લેખ પ્રેમાનંદે કર્યો છે.  તેમણે ગુજરાતી ભાષા જ્યાં સુધી સમૃદ્ધ ન બને ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

પ્રાગનરસિંહયુગ (ઈ.સ.-૧૦૦૦-૧૪૧૪)

 પ્રાગનરસિંહયુગ (ઈ.સ.-૧૦૦૦-૧૪૧૪) 
 સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અને ગુજરાતીભાષા 
 ૧૦ મી થી ૧૪ મી સદી અપભ્રંશ 
 નરસિંહ પૂર્વેનો સમય એટલે પ્રાગનરસિંહ યુગ / હેમયુગ / રાસયુગ / જૈનયુગ તરીકે ઓળખાય છે.. તે સમયે કલિકાલસર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યએ ૧૨મી સદીમાં ‘સિદ્ધહેમશબ્દનુંશાસન’ ગ્રંથમાં પ્રાકૃત વ્યાકરણને લગતા દુહાઓ અપભ્રંશ ભાષાઓમાં આપે છે જેમાં શૌર્ય અને પ્રેમ રસના દુહાઓ છે. ઉમાશંકર જોશીએ આ દુહાઓની ભાષાને ‘મારું-ગુર્જર’ ભાષા ગણાવી છે. 
 સમયની દ્રષ્ટીએ તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ છે. 
 ઈ.સ. ૧૧૮૫ માં શાલીભદ્રસૂરી ‘ભરતેસ્વર બાહુબલીરાસ’ આપે છે જે સમગ્ર ગુજરાતી સાહિત્યની પ્રથમ અને શ્રેષ્ઠ કાવ્યરચના છે. જેમાં જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલીની પરાક્રમ અને વીરતાની કથા છે. અંતે જૈન ઉપશમન છે. 
 ‘ભરતેશ્વર બહુબલીરાસ’ અને ‘સંદેશકરાસ’ જૂની ગુજ રાતીમાં રચાયેલા છે. 
 ઈ.સ. ૧૩૯૮માં શ્રીધર ‘રણમલ છંદ’ આપે છે અને મેરુ તુંગા ‘પ્રબોધ ચિંતામણી’ આપે છે. 
 ફાગુ કાવ્યોમાં ‘વસંતનો મહિમા’ ગણ થાય છે. 
 ઈ.સ. ૧૪૫૬માં રચાયેલી ‘કાન્હ્ડેપ્રબંધ’માં ગુજરાતી અને રાજસ્થાની ભાષાની મિશ્ર અસર જોવા મળે છે. 

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ


પ્રસ્તાવના : ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ઈ.સ. ૧૦૦૦થી મળી આવે છે. તે આજ સુધી વિકસતું રહ્યું                                છે. ગુજરાતી સાહિત્યના   ખ્યાત સાહિત્યકારો હેમચંદ્રાચાર્ય, નરસિંહ, મીરાબાઈ, અખો,                                 પ્રેમાનંદ ભટ્ટ, શામળ ભટ્ટ, દયારામ, દલપતરામ, નર્મદ,    ગોવર્ધનરામ ત્રિપાઠી,                                         ગાંધીજી, કનેયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુરેશ જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર                                     શાહ, નિરંજન ભગત  વગેરે છે. ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાતી                                 સાહિત્ય પરિષદ વગેરે અમદાવાદમાં આવેલી ગુજરાતી  સાહિત્યની સંસ્થાઓ છે.                               

                   ગુજરાતી સાહિત્યના ઈતિહાસને મુખ્યત્વે ત્રણ ભાગમાં                     વિભાજીત કરી શકાય છે.
                         ૧ પ્રાગનરસિંહ યુગ
                          ૨ મધ્યકાલીન યુગ 
                          ૩ અર્વાચીન યુગ

  પ્રાગનરસિંહયુગ (ઈ.સ.-૧૦૦૦-૧૪૧૪)
 સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અને ગુજરાતીભાષા 
 ૧૦ મી થી ૧૪ મી સદી અપભ્રંશ 
 નરસિંહ પૂર્વેનો સમય એટલે પ્રાગનરસિંહ યુગ / હેમયુગ / રાસયુગ / જૈનયુગ તરીકે ઓળખાય છે.. તે સમયે કલિકાલસર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યએ ૧૨મી સદીમાં ‘સિદ્ધહેમશબ્દનુંશાસન’ ગ્રંથમાં પ્રાકૃત વ્યાકરણને લગતા દુહાઓ અપભ્રંશ ભાષાઓમાં આપે છે જેમાં શૌર્ય અને પ્રેમ રસના દુહાઓ છે. ઉમાશંકર જોશીએ આ દુહાઓની ભાષાને ‘મારું-ગુર્જર’ ભાષા ગણાવી છે. 
 સમયની દ્રષ્ટીએ તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ છે. 
 ઈ.સ. ૧૧૮૫ માં શાલીભદ્રસૂરી ‘ભરતેસ્વર બાહુબલીરાસ’ આપે છે જે સમગ્ર ગુજરાતી સાહિત્યની પ્રથમ અને શ્રેષ્ઠ કાવ્યરચના છે. જેમાં જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલીની પરાક્રમ અને વીરતાની કથા છે. અંતે જૈન ઉપશમન છે. 
 ‘ભરતેશ્વર બહુબલીરાસ’ અને ‘સંદેશકરાસ’ જૂની ગુજ રાતીમાં રચાયેલા છે. 
 ઈ.સ. ૧૩૯૮માં શ્રીધર ‘રણમલ છંદ’ આપે છે અને મેરુ તુંગા ‘પ્રબોધ ચિંતામણી’ આપે છે. 
 ફાગુ કાવ્યોમાં ‘વસંતનો મહિમા’ ગણ થાય છે. 
 ઈ.સ. ૧૪૫૬માં રચાયેલી ‘કાન્હ્ડેપ્રબંધ’માં ગુજરાતી અને રાજસ્થાની ભાષાની મિશ્ર અસર જોવા મળે છે.